Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ધોરાજીમાં ૧૦% બિન અનામતના નિર્ણયને આવકાર્યો

ધોરાજી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ લીધેલા સર્વણોને ૧૦ ટકા અનામત આપવા અંગેના નિર્ણયને ધોરાજી ના બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ધોરાજીના સ્વાતી ચોક ખાતે ભારે આતશબાજી કરી પેંડા વહેંચેલ આ સમયે સરકારે લીધેલા નિણર્ય ને બજરંગ ગ્રુપ ના પ્રમુખ સી.સી.અંટાળા સરકારી અગ્રણી જેન્તીભાઈ બાલધા બજરંગ ગૃપના કાર્યકર્તા ઓ તેમજ સેવાભાવી રમણીકભાઈ ટોપીયા પંકજભાઈ પંડીયા, ઉદય વઘાસીયા, કુંતલ કોયાણી, ભુપતભાઈ કોયાણી, સંજયભાઈ બાલધા, વિનુભાઈ બાબરીયા સહીતના યુવાનોએ વધાવી આતશબાજી કરી ફટાકડા ફોડી નરેન્દ્ર મોદી આગળ વધો ભારત માતા કી જયના નારાઓ લગાવી નિર્ણયને આવકારેલ હતો. ૧૦ ટકા બિન અનામત ના નિણર્ય ને આવકારતા ફટાકડાની આતશબાજી કરી મો મીઠા કરાવાયા હતા. (અહેવાલ - તસવીરઃ કિશોરભાઈ રાઠોડ ધોરાજી)(૪૫.૬)

 

(11:56 am IST)