Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મુળીના ખાખરાળાની કોળી પરિણીતા ટીનુબેન કણઝારીયાનું વિજકરંટથી મોત

રાજકોટ તા. ૧૧: મુળીના ખાખરાળા ગામે રહેતી કોળી પરિણીતાનું વાડીએ વિજકરંટ લાગતાં મોત નિપજ્યું છે.

ખાખરાળા રહેતી ટીનુબેન પ્રતાપભાઇ કણઝારીયા (ઉ.૩૦) તા. ૨૮ના રોજ જેસાભાઇ હાજાભાઇ ભરવાડની વાડીએ હતી ત્યારે વિજકરંટ લાગતાં સુરેન્દ્રનગર, અમદાવાદ સારવાર અપાવી ફરીથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું મોડી રાત્રે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી મુળી પોલીસને જાણ કરી હતી. મૃતક પતિ સાથે ખેત મજુરી કરતી હતી. તેના મોતથી ત્રણ માસુમ પુત્ર મા વિહોણા થઇ ગયા છે. (૧૪.૫)

 

(11:55 am IST)