Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબીના કમલેશભાઇ રાવલનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૧: મોરબીમાં અંબિકા રોડ પર માધાપરના ઝાંપે રહેતાં કમલેશભાઇ પ્રતાપરાય રાવલ (ઉ.૫૦) નામના બ્રાહ્મણ પ્રોૈઢને શ્વાસની બિમારી હોઇ રાત્રે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી મોરબી જાણ કરી હતી. (૧૪.૫)

(11:55 am IST)