Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઉપલેટાના નગર સેવક ગરીબોને વ્હારેઃ ૩પ૦ પરિવારોને આયુષ્માન કાર્ડ આપ્યા

ઉપલેટા, તા. ૧૧ : છેલ્લા ૪૦થી વધુ વર્ષથી સતત નગરપાલિકામાં ચૂંટાતા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દા ઉપર રહી લોકોની જરૂરી સેવાઓની કામગીરી કરી ખૂબજ સાચા લોક સેવક અન્ય માટે પ્રેરણારૂપ એવા રણુભા નવલસંગ જાડેજાએ વડાપ્રધાનશ્રીની આયુષ્યમાન યોજના અંતર્ગત વોર્ડ નં. ૩ ના ૩પ૦થી વધુ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને સ્વ ખર્ચે  કાર્ડ કાઢાવી અપાવી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. જેને વોર્ડના દરેક લોકોએ આવકારેલ છે. આ કાર્યક્રમમાં જયેશભાઇ ત્રિવદેી, મહાવીરસિંહ વાળા, શિક્ષણ સમિતિના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતાં.(૮.પ)

(10:30 am IST)