Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જાફરાબાદના નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલ યુવાનની વાડીમાંથી લટકતી લાશ મળી !:ચકચાર

પોલીસ સામે માર મારી હત્યા કરાયાના આક્ષેપો:કોળી સમાજના આગેવાનો દોડ્યા

 

જાફરાબાદના નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા ચોરીના આરોપીની તેના કાકાની મીઠાપુર પાસે સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીના ઢાળીયામાં ગળાફાંસો ખાધેલી હાલતે લાશ મળી આવતા ચક્ચાર મચી જવા પામી છે અને પોલીસ સામે માર મારી હત્યા કરાયાના આક્ષેપો થઈ રહ્યાં છે. બનાવ અંગે કોળી સમાજના આગેવાનો દોડી ગયા હતા.

   અંગે જાણવા મળ્યા મુજબ જાફરાબાદના નાગેશ્રી ખાતે ૧પ દિવસ પૂર્વે નાગેશ્રીના ભગાભાઈ દેવહીભાઈના ઘરે ઘરફોડ ચોરી થયેલી જેની ફરિયાદ નાગેશ્રી પો.સ્ટે.માં નોંધાવાયેલી. તેની તપાસ પીએસઆઈ મુળીયા ચલાવી રહ્યાં હતા.

  દરમિયાન નાગેશ્રીના વતની એવા લાલા ભીમાભાઈ રાઠોડ (જાતે કોળી)ને બે દિવસ પૂર્વે પીએસઆઈ મુળીયા સહિત પોલીસે ઉઠાવી લીધો હતો ત્યારે રાત્રિના સમયે અચાનક આરોપી લાલા ભીમા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો હતો

 આજે વહેલી સવારે મીઠાપર ખાતે આવેલી વાડીની ઓરડીના ઢાળીયા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. જેના કારણે સમગ્ર બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

(12:35 am IST)