Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ચરાડવાની યુવતી પર બળાત્કાર :ગુરુકુળના સંચાલક, તેના ભાણેજ અને અન્ય શખ્શ વિરુદ્ધ ફરિયાદ :ચકચાર

એડમિશન આપવાના બહાને 2016થી અવારનાવાર દુષ્કર્મ ગુજારતા હતા

મોરબી: સ્વામીનારાયણ મહંતો પર દુષ્કર્મની ફરિયાદો બાદ આજે વધુ એક સ્વામીનારાયણ ગુરૂકુલના સંચાલકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે

   મળતી વિગત મુજબ મોરબી પાસેના ચરાડવા ગામની યુવતી દ્વારા સહજાનંદ ગુરૂકુલ સંચાલકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, એડમિશન આપવાના બહાને 2016થી અવારનાવાર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે. ગુરૂકુલના સંચાલક લલિતભાઇ પટેલ, અલકેશભાઇ પટેલ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સુરતના ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મક આચર્યું હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો હતો. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો. જે ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે લંપટ સ્વામાની ધરપકડ પણ કરી હતી.

(11:09 pm IST)