Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગારીયાધાર નગરપાલિકાની નીતિ રીતિ સામે કોંગ્રેસ દ્વારા ઉપવાસ

મામલતદાર કચેરીએ મામલતદારને સચોટ રજુઆત થઇ

ગારીયાધાર તા.૬: ગારીયાધાર ન.પા. કચેરીના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા સતાપર આવ્યા બાદ આઠ માસમાં કોઇપણ કાર્યકારી સમિતિની રચના ન થતા કોંગ્રેસ દ્વારા ગઇકાલ એક દિવસના ઉપવાસ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યા હતા.

ગારીયાધાર ન.પા. કચેરી ખાતે સતાધીશો અને અધિકારીઓ દ્વારા ન.પા. કચેરીમાં બાંધકામ સમિતિ, પાણી સમિતિ, આરોગ્ય સમિતિ જેવી કાર્યકારી સમિતિઓની રચના ન થવા બાબતે અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ જે બાબતે કોઇ યોગ્ય કાર્યવાહી ન થતા અને અધિકારી દ્વારા યોગ્ય પ્રતિઉતર ન મળતા ગારીયાધાર ન.પા. વિરોધ પક્ષ દ્વારા ગઇકાલ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.

જેમાં ન.પા. કોંગ્રેસના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય ગોવિંદભાઇ મોરડીયા, એપીએમસીના ચેરમેન પરષોતમભાઇ ઝાલાવાડીયા, તા.કો. પ્રમુખ ગોરધનભાઇ સહિત કોંગી કાર્યકરો જોડાયા હતા.

(9:40 am IST)