Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વાંકાનેરના પંચાસીયા ગામમાં દેવીપૂજક સગર્ભાએ ઝેર પીધું

રાજકોટ તા. ૧૧: વાંકાનેરના પંચાસીયા ગામમાં રહેતી આરતી સંજય કોંઢીયા (ઉ.૨૩) નામની દેવીપૂજક પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

આરતીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી છે. તેમજ હાલમાં આરતીના પેટમાં આઠ માસનો ગર્ભ છે. પતિ સંજય ચંદુભાઇ ખેત મજૂરી કરે છે. આરતીએ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ છે. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:19 pm IST)