Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જુનાગઢમાં ૭પ૦૦ દિવંગત આત્માઓના અસ્થિફુલોનું હરિધ્વારમાં વિસર્જન કરાયું

જુનાગઢના સોનાપુરી ખાતેથી દિવંગત આત્માઓના અસ્થિ ફુલોને હરિધ્વાર ગંગા નદીમાં ધાર્મિક વિધી મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જન કરતા સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂ તથા દિપકભાઇ રૂપારેલીયા નજરે પડે છે. (૧૧.પ)

જુનાગઢ તા.૧૧:  મ્યુ. કોર્પોરેશન સંચાલિત સોનાપુરી સ્મશાનગૃહ ખાતે છેલ્લા ૧ વર્ષમાં એકત્ર થયેલ ૭પ૦૦ જેટલા દિવંગત આત્માઓના અસ્થિફુલોનું તા.૩૦ના રોજ હરિધ્વાર ખાતે પવિત્ર ગંગા નદીમાં ભાગવતાચાર્ય કેતનભાઇ પેરાણી તથા હરિદ્વાર તીર્થના વિદ્વાન પંડીતોના મંત્રોચ્ચાર તથા વૈદિક વિધી દ્વારા સર્વોદય બ્લડ બેંકના  મહેન્દ્રભાઇ મશરૂ તથા દિપક રૂપારેલીયા (મહાનગર પાલીકા ઓફિસર) સહીતના સ્વયંસેવકોએ સેંકડો લોકોની હાજરીમાં વિસર્જન કર્યું હતું.

ત્યારે હાજર લોકોમાં ભાવવાહી દૃશ્યો ખડા થયા હતાં.

આ વેળાએ જુનાગઢ મ્યુ. કોર્પોરેશનના કોર્પોરેટરો, દિવંગતોના  સગા સંબંધીઓ તથા મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. (૧૧.પ)

(12:14 pm IST)