Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાવનગરમાં સ્વાઇન ફલુની શંકાથી હોસ્પિટલમાં સારવારમાં યુવકનું મોત : રિપોર્ટ નેગેટીવ

 ભાવનગર, તા. ર૬ : ભાવનગરમાં સ્વાઇનફલુની શંકાને લઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવાનનું મોત નિપજયું છે. જોકે આ મૃતક યુવાનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. દરમ્યાન ભાવનગરમાં સ્વાઇન ફલુના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં સ્વાઇન ફલુના વધુ ત્રણ કેસ પોઝીટીવ આવતા સારવાર શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં સ્વાઇન ફલુ પોઝીટીવના ૧૦ કેસ થયા છે જેમાં ૭ કેસ હાલ સારવારમાં છે. બીજી બાજુ તંત્ર દ્વારા સ્વાઇન ફલુને ડામવા સર્વેલન્સ, દવા વિતરણ અને જાગૃતિ ઝુંબેશ ચાલુ છે.

વલભભપુર તાલુકાના પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીને સ્વાઇન ફલુની શંકાને લઇ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું છે. જોકે તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે.(૮.૮)

(12:06 pm IST)