Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કેશુભાઇ પટેલ-શંકરસિંહ વાઘેલા જુનાગઢમાં નારસિંહભાઇ પઢિયારને શ્રધ્ધાસુમન અર્પશે

જુનાગઢ તા. ૧૧ : આજે બપોર બાદ પીઢ રાજકીય આગેવાન સ્વ. નારસિંહભાઇ પઢીયારને શ્રધ્ધાંજલી અર્પવા માટે બે માજી મુખ્યમંત્રી આવી રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. જુના જનસંઘી અને ભાજપના પીઢ આગેવાન નારસિંહભાઇ પઢીયારની તાજેતરમાં નિધન થયેલ. આજે સાંજે ૪ કલાકે મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સ્વ. પઢીયારને શ્રધ્ધાંજલી આપવા માટે જૂનાગઢ આવી રહ્યા છે.

આ જ પ્રમાણે માજી મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ બપોર બાદ સ્વ. નારણસિંહભાઇ પઢીયારને શ્રધ્ધાંજલી આપશે.

આ બંન્ને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. પઢીયારના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.(૨૮.૭)

(6:05 pm IST)