Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરેન્દ્રનગરમાં ઝઘડો-મારા મારી જોતા રવિદાનભાઇ બારોટનું હૃદય બેસી ગયુ

વઢવાણ તા. ૧૧ :..  સોનલ સોસાયટી વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે બેઠેલા શખ્સો જેમાના કેટલા યુવાનો ગાળો બોલતા હોઇ ગાળો ન  બોલવાનું જણાવતા બે જૂથો વચ્ચે -ઝઘડો થતા ત્રણ શખ્સો ઘાયલ થયાહતા અને ૯ સામે ફરીયાદ પણ નોંધાઇ છે.

જયારે આ ઝઘડાનું કારણ બાઇક સાઇડમાં લેવાનું કારણ હોવાનું પણ જાણવા મળેલ છે.  જયારે આ બનાવમાં ધોકા - તલવાર ઉડતા આ ઝઘડો ભરતભાઇ રવીદાનભાઇ બારોટ  ઉ.પ૦ વાળા જોતા હતાં. ત્યાં જ અચાનક આ ઘટના સ્થળ ઉપર ઢળી પડયા હતાં.

જયારે ભરતભાઇ બારોટને દવાખાને તાત્કાલીક અસરે લઇ જવાયા હતાં જયાં તેમનું મોત નિપેલ હોવાનું ફરજ ઉપરના ડોકટર દ્વારા જણાવવામાં આવેલ હતું.

જયારે ઝઘડામાં ૯ લોકો સામે ફરીયાદ હાલમાં  નોંધાયેલ છે. જયારે આ બનાવમાં પોલીસ સુત્રોએ આપેલ વિગત અનુસાર કમલેશ સુખાભાઇ બારોટ, કરણ ભરતભાઇ બારોટ (મૃતકનો પુત્ર) અશોકભાઇ બારોટ, રાજ ભરતભાઇ બારોટ, (મૃતકનો પુત્ર) રે. બધા જ  સોનલ સોસાયટીવાળા એ એકસંપ કરી  અને તલવાર, ધોકા વડે હૂમલો કર્યો હતો.

આ હુમલામાં સંજયભાઇ બારોટ અને તેમના પુત્ર અમીતભાઇ બારોટને ઇજાઓ થવા પામેલ છે. જયારે ૯ સામે ફરીયાદ નોંધાતા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. (પ-ર૦)

(2:33 pm IST)