Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ટંકારાના ગજડીમાં મેઘરાજાને મનાવવા રામધુનઃ વિંછીયા તાલુકામાં ખેડુતો ચિંતીત

રાજકોટ, તા., ૧૧: મેઘરાજાને મનાવવા માટે લોકો પ્રાર્થના કરી રહયા છે. ત્યારે ટંકારાના ગજડી ગામમાં વરસાદ ન આવતા ર૪ કલાક સુધી રામધુન ચાલુ રાખવામાં આવી છે જે રાત્રીના ૯ વાગ્યે પુર્ણ થશે.

વિંછીયામાં ગત રાત્રીના ૯ વાગ્યે હળવુ વરસાદી ઝાપટુ પડયું હતું. જો કે મન મુકીને મેઘો મંડાતો ન હોય ખેડુતો ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ વિંછીયામાં દસ-દસ દિવસે પીવા-વાપરવાનું પાણી (મહી-નર્મદાનું આવે ત્યારે) વિતરણ કરાય છે જેથી પાણીની વિકરાળ સમસ્યા મોઢુ ફાડીને ઉભી છે.(૪.૩)

(12:01 pm IST)