Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પાલીતાણા-બાંદ્રા ટ્રેઇનમાં એ.સી.ડબો

ભાવનગર તા. ૧૧ : ભાવનગર રેલ્વે ડીવીઝનના કોમર્શીયલ મેનેજર માશૂક અહમદની યાદી જણાવે છે કે રેલ્વેની સુવિધા તબ્બકાવાર વધારવામાં આવે છે. રેલ યાત્રીની સંખ્યા મુજબ તેમાં સુવિધા સ્વરૂપે વધારો કરાય છે.

પાલીતાણાથી મુંબઇ જતી અઠવાડીક ટ્રેઇન પાલીતાણા-બાંદ્રા (રર૯૩પ-રર૯૩૬) માં તા.૧૩ જુલાઇ ર૦૧૮ થી મુંબઇ થી એક એરકન્ડીશન (કોચ) જોડવાનો નિર્ણય લેવાયો છે. ઉપરોકત ટ્રેઇન દર શનિવારે પાલીતાણાથી રાત્રે૮-પ વાગ્યે ઉપડી રવિવારે સવારે ૧૦-ર૦ બાંદ્રા પહોંચે છે. બપોરે બાંદ્રા થી શુક્રવારે ૩-રપ વાગ્યે ઉપડી બીજા દિવસે શનિવારે સવારે પ-૩૦ વાગ્યે પાલીતાણા પહોંચે છે. એસી કોચ લાગતા આ ટ્રેઇન ર૧ ડબાની થશે.

(11:24 am IST)