Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જૂનાગઢના દામોદર કુંડ પર કાંઠા ગોરનું વિસર્જન

 

જૂનાગઢના દામોદર કુંડ પર કાંઠા ગોરનું વિસર્જન કરવા તેમજ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરવા દૂર દૂરથી ભાવિકો આવ્યા હતા. અહીં બિરાજતા રાધા દામોદરજી મંદિરમાં પુરષોતમ નારાયણનું સ્વરૂપ પણ સ્થાપિત છે. તેના દર્શન કરી મહિલા ભાવિકોએ ગોપી ભાવે ઉજવણી સંપન્ન કરી હતી.

 

   એક મહિના સુધી કાંઠા ગોરની પૂજા, સત્સંગ, મનોરથ ઉજવી દર ત્રણ વર્ષે આવતો અધિક માસ વહેલો આવે તેવી પ્રાર્થના ભાવિકોએ કરી હતી. તો તીર્થ ગોર દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવી હતી. ભાવિકોએ ગરીબોને દાન દક્ષિણા અને ગાયોને ચારો આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું

(10:22 pm IST)