Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ભોજનમાં ઇયળ નીકળ્યા બાદ રસોડામાં ઉંદરોનો ત્રાસ હોવાનું ખુલ્યુ

ભાવનગર તા. ૧૩ :.. ભાવનગરની સરકારી સર ટી. હોસ્પીટલમાં દર્દીને પીરસાતા ભોજનમાં ઇયળ નિકળતાં હોબાળો મચી ગયો હતો.

હોસ્પીટલનાં બર્ન્સ વોર્ડ નજીક એક દર્દીના ભોજનમાં ઇયળ આવતાં વધુ એક બેદરકારી ઉજાગર થવા પામી છે. ઉલ્લેખનીય છે કે રસોડા વિભાગમાં ઉંદરોનો ત્રાસ અને સ્વચ્છતાનો અભાવ હોવાની ફરીયાદો પણ ઉઠી છે.

(11:27 am IST)