Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

હળવદના સામતરસર તળાવનું નિરીક્ષણ કરતા મંત્રી શ્રી રૂપાલા

રાજય સરકાર દવારા જન ભાગીદારીને જોડી સુજલામ સુફલામ યોજના હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં ગત તા.૧લી મે થી ૩૧મી મે ૨૦૧૮ સુધી મહા જળસંચય અભિયાનનો પ્રારંભ કરી વધુને વધુ જળ સંગ્રહ થાય તે માટે જળસ્ત્રોતોનો કાંપ કાઢી ઉંડા ઉતારવાના કામ હાથ ધર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ શહેરના સામંતસર તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આ ચાલી રહેલ કામગીરીનું કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પુરસોતમભાઇ રૂપાલાએ  મુલાકાત લઇ  નિરિક્ષણ કરી કામગીરીની જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા પાસેથી જાણકારી મેળવી હતી. તે પ્રસંગની તસ્વીર

(11:40 am IST)