Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ચોટીલામાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી

ચોટીલા : તાલુકામાં દલિતસમાજ દ્વારા ૧૨૭ મી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ગુલાબનાં ફુલ વહેચી સમરસતાનાં સંદેશ સાથે દલિત સમાજ દવારા ઉજવણી કરવામાં આવેલ હતી. તાલુકાનાં ગામડાંઓમાં અલગ અલગ રૂટ સાથે રેલી સાથે આણંદપુર ગામે વિશેષ કાર્યક્રમ યોજેલ હતો. ચોટીલા શહેરમાં મહારેલી નું આયોજન કરેલ હતું. જેમાં બાઇકો, વાહાનો ટેબ્લો ગોઠવી એક બનો નેક બનો નાં નારા સાથે મહારેલી રાજમાર્ગ ઉપર ફરેલ હતી. જેમાં ગુલાબનાં ફુલ વહેચીને સમરસતાનો સંદેશ ફેલાવેલ હતો. આ મહારેલીમાં દલિત અગ્રણી નરેશ મારૂ, છબીલભાઇ વાધેલા, મનુભાઇ સોલંકી સાથેઙ્ગ બંને પક્ષનાં રાજકિય આગેવાનો રૂત્વિકભાઇ મકવાણા,ઙ્ગમેરૂભાઇ ખાચર, હરેશ ભાઇ ચૌહાણ સહિતનાં આગેવાનો જોડાયા હતા. (તસ્વીર - અહેવાલ : હેમલ શાહ, ચોટીલા)(૨૧.૧૭)

(1:03 pm IST)