Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પૂ.મોરારીબાપુ દ્વારા શિકરા ગામના મૃતકનાં પરિવારજનોને સહાય

કુંઢેલી - ભાવનગર  તા.૧૬ : કચ્છ જીલાના ભચાઉ નજીકના શિકરા ગામે બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૦ વ્યકિતઓના મૃત્યુ થયા હતા. શ્રી  ચિત્રકુટધામ - તલગાજરડા તરફથી શ્રી હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે આ મૃતકોના પરિવારજનોને સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય પૂ. મોરારીબાપુએ મોકલાવેલ છે.

ભુજ સ્થિત ઘનશ્યામભાઇ જોશી  દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવેલ છે. મૃતકો માટે પૂ. મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી પ્રભુ પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે. (૭.ર૧)

 

(1:00 pm IST)