Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાવનગરની બે વિપ્ર બ્હેનો યોગ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટે વિદેશ પ્રવાસે

ભાવનગર તા.૧૬ : વિપ્ર પરિવારની બે બહેનો યોગ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટે વિદેશ પ્રવાસે જવા રવાના થનાર છે.

ભારત સરકાર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર માટે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીની અને લકુલીશ વિદ્યાલયના સેવા આપનાર ભાવનગરના યોગ સાધિકા યોગીતાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે યોગીતાબેન ઓસ્ટ્રેલીયા ખાતે યોગનો પ્રચાર અને પ્રસાર કરી લોકોને યોગ વિષે શિક્ષણ આપનાર છે.

આ ઉપરાંત તેમના બેન હિનાબેન મહેતાની પણ સંસ્કૃત ભાષના પ્રચાર-પ્રસાર માટે પસંદગી કરવામાં આવી છે હિનાબેન સ્વીઝરલેન્ડ ખાતે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસારનો કાર્યભાર સંભાળનાર છે.

યોગ ગુરૂ આર.જે.જાડેજા તથા અર્ચન મહેતાએ માહિતી આપી હતી.

યોગીનીબેન મહેતા આ અગાઉ પણ યોગના પ્રચાર માટે ઇજીપ્ત અને નેપાળના પ્રવાસે જઇને ભારતી પ્રાચીન એવી યોગ વિદ્યાનો પ્રચાર કરી ચુકયા છે.(૬.૫)

(11:59 am IST)