Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામનાર દલિત વૃધ્ધાનું મોત

ભાવનગર તા.૧૬ : ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામેલ વૃધ્ધાનુ઼ સારવાર દરમિયાન મોત નીપજયું છે.

વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠકકરબાપા સોનાપરીમાં રહેતા વીરૂબેન નારણભાઇ કંટારીયા ઉ.વ.૬પ નામની દલીત વૃધ્ધા ર૭-૩ના રોજ થયેલ મારામારીમાં લાકડી વાગતા ઇજા  પહોંચતા અત્રેની સરટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેને તા.૩૦મી રજા આપવામાં આવેલ. ફરી તા.૯-૪ના રોજ તેને સારવાર માટે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહયા છે. (૪.૮)

(11:57 am IST)