Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પોરબંદર સહિત ૬ જિલ્લાની હદપારી ભંગ કરનાર માધવપુરનો શખ્સ ઝડપાયો

પોરબંદર, તા., ૨૦: પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને દેવભુમી દ્વારકા એમ ૬ જિલ્લામાંથી હદપાર કરેલ માધવપુરના શખ્સને હદપારી હુકમનો ભંગ કરી મળી આવતા એસઓજી પોરબંદર દ્વારા ઝડપી લીધેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નીરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસીંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જીલ્લાના અધીક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા અવાર નવાર હદપારી ઇસમોને ચેક કરવા અંગે સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ એસઓજી પોરબંદર દ્વારા એસઓજી સ્ટાફને હદપાર થયેલા ઇસમોને ચેક કરવા અલગ-અલગ ટીમો પાડી કામગીરી સોંપવામાં આવેલ તે પૈકી એ.એસ.આઇ. એમ.એમ.ઓડેદરા તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીયા માધવપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે હકીકત મળતા હોદપારી ઇસમ ગીરીશ કરશનભાઇ રાણાવાયા (ઉ.વ.૩ર) રહે. માધવપુર ભરડા શેરી આઝાદ ચોકની બાજુમાં તા.જી. પોરબંદર વાળાને મ્હે. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નાઓએ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને દેવભુમી દ્વારકા એમ ૬ જિલ્લાની હદમાંથી ત્રણ માસ માટે હોદપાર કરેલ હોય અને મજકુર ઇસમને સદરહું હુકમ બજવણી થયેલ હોય અને ત્રણ માસની મુદત પુરી થયા પહેલા હદપારી હુકમનો ભંગ કરી પોરબંદર જીલ્લામાં પ્રવેશ કરી તેના રહેણાંક મકાન પાસેથી મળી આવતા માધવપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ હદપારી ભંગનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.

સદરહું કામગીરી પીઆઇ કે.આઇ.જાડેજા એસ.ઓ.જી. તથા પીએસઆઇ શ્રી એચ.સી.ગોહીલ તથા એએસઆઇ એમ.એમ.ઓડેદરા તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા દ્વારા કરવામાં આવેલ છે.

(11:29 am IST)