Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદન સ્વીકારવા કર્યો ઇન્કાર: કોંગી ધારાસભ્ય અને કાર્યકરો ઉપવાસ પર ઉતાર્યા

એકની તબિયત લથડતા મામલતદાર કચેરીમાં જ સારવાર કરવાની ફરજ પડી

 

કાલાવડ : ગુજરાતમાં અતિવૃષ્ટી સર્જાતા ઘણા બધા હેક્ટર્સની જમીનોમાં પાકને ઘણું નુકશાન સર્જાયું છે. ત્યારે મામલે જામનગરમાં કાલાવાડમાં કોંગ્રેસ દ્રારા આવેદન પત્ર આપવાનું આયોજન કરાયું હતું

 કોંગ્રેસ દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે મામલતદારે આવેદન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેથી કોંગ્રેસ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ ઓફિસની બહાર ઉપવાસ પર ઉતર્યા હતા. જો કે એકની તબિયત લથડતા મામલતદાર કચેરીમાં સારવાર કરવાની ફરજ પડી હતી.

(11:38 pm IST)