Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગોંડલના રૈયાણી અને કડવાણીનગરમાં તસ્કરોનો તરખાટઃ ૩ બંધ મકાનોમાં ચોરી

પોલીસ ઘટના સ્થળે દોડીઃ મકાન માલીકો આવ્યા બાદ ચોરીનો આંક બહાર આવશે

રાજકોટ, તા.,૨૦: ગોંડલમાં ગઇકાલે રાત્રે તસ્કરોએ ૩ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં આવેલ રૈયાણીનગર અને કડવાણીનગરમાં આવેલ ૩ બંધ મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી મકાનના તાળા તોડી રોકડ રકમ અને દાગીના ચોરી ગયાનું બહાર આવેલ છે. આજે સવારે ત્રણેય બંધ મકાનોના તાળા તૂટેલ હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ત્રણેય બંધ મકાનમાં કેટલી રકમની મતા ચોરી થઇ છે તે બહાર આવેલ નથી પરંતુ મકાન માલીક આવ્યા બાદ ચોક્કસ આંક બહાર આવશે બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:19 pm IST)