Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હળવદના જુના અમરાપર ગામના ખેડુતે ૬૦ વિધામાં વાવેલ કપાસનો પાક સળગાવી દિધો

હળવદ, તા.૨૦:ગત વર્ષે દુષ્કાળ અને આ વર્ષે અતિવૃષ્ટિથી જગતનોતાત મુંજવણમા મુકાયોસે મોંધા બીયારણો તેમજ દવાઓ ના ખર્ચા માથે પળ્યા છે રાજય સરકારની વળતર આપવાની વાતો વચ્ચે ખેડુત અટવાયો છેઙ્ગ ત્યારે ન છુટકે ખેડુતોને કપાસના પાકને સળગાવવાની ફરજ પળી છે સર્વે કરવા આવતી ટીમો ૩૩%થી વધુ નુકશાની હોવા સછાઙ્ગ નુકશાની નથી તેવુ જણાવતા ખેડુત નીરાશ થઈઙ્ગ પોતાના ખેતરમા રહેલો પાક સળગાવી રહ્યા છે.

 હળવદના જુના અમરાપર ગામના હરજીવભાઇ પોપટભાઇ એ ઓ સીઝનમાં ૬૦ વિધાના કપાસ નું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે અને તેને કારણે ખેતરમાં રહેલ કપાસને ખેતર વચ્ચે જ આગચાપી દિધી હતી રવીપાકના વાવેતરનો સમયમા વિલંબ થઇ રહ્યો છે અને સર્વેની ટીમો દ્ઘારા કહેવામા આવે છે કેઙ્ગ કપાસના પાકમા હજુ પાક આવશે રાહજોવો પરંતુ એક સીજન તો બગાડી અને જીરા,ઘઉંની સીઝન સુધરવાની આશા એ ખેડુતો કપાસનો પાક સળગાવી રહ્યા છે.

(12:05 pm IST)