Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગિરનાર જંગલમાં ભાવનગરના વૃદ્ધનો ગળાફાંસો ખાયને આપઘાત

જુનાગઢ તા.ર૦ : ગિરનાર જંગલમાં ભાવનગર વિસ્તારના વૃદ્ધે ગળાફાંસો ખાયને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી.

જુનાગઢના ભવનાથમાં ગિરનાર પર્વતના ૧પ૦  પગથીયા પાસેના જંગલમાં માનવીએ ગળફાંસો ખાધો હોવાની સાંજે જાણ થતા ભવનાથ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

લાશને નીચે ઉતારી પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પ્રાથમીક તપાસમાં મરનાર ભાવનગર જિલ્લાના રામપરા ગામના હકાભાઇ ભાણાભાઇ સરવૈયા (ઉ.૯૦) ના વૃદ્ધ હોવાનું માલુમ પડયું હતું.

વૃદ્ધના આપઘાત પાછળનું કારણ જાણવા મળેલ નથી વિશેષ તપાસ ભાવનગર પોલીસ ચલાવી રહી છે.

(11:49 am IST)