Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસ- આજે મનીષા, સુરજીતના રિમાન્ડ પૂર્ણ, ભચાઉ કોર્ટમાં ફરી રજૂ કરાશે

બન્ને આરોપીઓ પાસેથી માહિતી કઢાવવામાં પોલીસ ઊંધે માથે, ફરી વધુ રિમાન્ડની માંગણી કરાશે

 ભુજ, તા.૨૦:પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસના બે મુખ્ય આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના ૧૨ દિવસના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થયા છે.

જોકે, આ બન્ને આરોપીઓ રીઢા અને કાયદાના જાણકાર છે, પોલીસ તેમની પાસેથી વધુ માહિતી કઢાવવામાં નિષફળ રહી હોવાની પણ ચર્ચા છે.

જોકે, બન્ને આરોપીઓની સાથે સીટની ટીમ કચ્છ આવી હતી અને પ્રોપર્ટી વિવાદ તેમ જ મનીષા, સુરજીત, ઉપરાંત છબીલ પટેલ, જેન્તી ડુમરા અને મૃતક જેન્તી ભાનુશાલી ના સંબંધો વિશે પૂછપરછ પણ કરી હતી. આ સંદર્ભે સીટ દ્વારા કોઈ વધુ જાણકારી અપાઈ નથી. પણ, સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને આરોપીઓ સહકાર ન આપતા હોઈ પોલીસ વધુ રિમાન્ડ માંગશે.

(11:00 am IST)