Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં બે ખેડૂત પર તીક્ષ્ણ હથિયારથી હુમલો:એકનું મોત:એક ગંભીર

માર્ગ બનાવવાના કામ બાબતે તકરારની અદાવત રાખી અજાણ્યા શખ્શોએ હુમલો કર્યો

અમરેલી:જિલ્લાના ખાંભાના સમઢીયાળા ગામે બે ખેડૂત પર આઠથી દસ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.જેમાં એક ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ખેડૂતને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.

 જાણવા મળ્યા મુજબ ખાંભાના સમઢીયાળા ગામમાં ખેતર વચ્ચે માર્ગના કામ બાબતે કેટલાક લોકો વચ્ચે તકરાર થઈ હતી આ તકરારની અદાવત રાખીને  મોડી સાંજે 8-10 શખ્શોએ બે ખેડૂતો પર અચાનક જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો

  આ હુમલામાં પરષોત્તમભાઈ દોગા નામના ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. અન્ય ખેડૂત પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.આથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી ખસેડવામાં આવ્યા છે. મૃતક પરષોત્તમભાઈ દોગાની લાશને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

(10:34 pm IST)