Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વિપક્ષ નેતા પરેશ ધાનાણી કેરીયાચાટ ગામે ખેડૂતોની વાડીએ પહોંચ્યા: સુકાયેલો પાક જોઈ ચિતા વ્યક્ત કરી

અમરેલીઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કેરિયાચાટ ગામે ખેડૂતોની વાડીએ પહોંચ્યા હતા અને પાકની સ્થિતિ જાણી હતી જેમાં મોટાભાગના ખેતરોમાં પાક સુકાયેલો જોવા મળતા ચિંતા વ્યક્ત કરી હતી.આ તકે ખેડૂતોએ ધાનાણીને જણાવ્યું હતું કે,એક તરફ અમરેલી જિલ્લામાં ઓછા વરસાદને કારણે પાકની સ્થિતિ દયનીય છે બીજી તરફ સરકાર નિંભર બનીને તમાશો જોઈ રહી છે. સરકાર દ્વારા પાકવીમો પણ ચુકવવામાં આવ્યો નથી.

 

  ખેડૂતોની વેદના સાંભળીને ધાનાણીએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની ખાતરી આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી પંથકના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ પાકવીમો આપવાની તેમજ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

(10:22 pm IST)