Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જુનાગઢઃ મુંબઇમાં શ્રીરામદેવ ભકિત માનસ કથામાં જામજોધપુરના પૂ. જેન્તીરામબાપાના આશિવર્ચન

જૂનાગઢ : મુંબઇના થાણા ખાતે મેંદરડાવાળા પૂ. કલ્યાણદાસબાપુ મેસવાણીયા  રામદેવ માનસ કથા ચાલી રહી જેમાં ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તીરામબાપા ખાસ ઉપસ્થિત રહી રામદેવ  ભકિતને સત્સંગ દ્વારા મહત્વ સમજાવ્યુ હતું અને સૌને ભકિતમાં તરબોળ કરી આશિવર્ચન પાઠવ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં પૂ. જેન્તીરામબાપા ભવિકોને માનસકથા સમજાવી કલ્યાણદાસબાપુનુ સાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે. સાથે નરેશભાઇ ટોલીયા અને કથા શ્રવણ કરતા મહિલાઓ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિનુ જોશી -જુનાગઢ)

(1:38 pm IST)