Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જુનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન

જુનાગઢ : જુનાગઢમાં સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સર્વ બહેનોને નવા વર્ષ નિમિત્તે નૂતન વર્ષાભિનંદનની આપ-લે કરવામાં આવી હતી. તા. ૧૬ને શુક્રવારે સાંજે પ વાગ્યે જુનાગઢના આર્યસમાજ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.   સ્ત્રી નિકેતન સંસ્થાના ચેર પર્સન  શ્રી પદ્માબેન શાસ્ત્રીની ઈચ્છા મુજબ તથા વાઇસ ચેરમેન શ્રી મીનાબેન ચગ તથા સલાહકાર શ્રી તરુબેન ગઢિયાના માર્ગદર્શન હેઠળ હર  વખત ની જેમ આ વખતે પણ અંધકાર થી ઉજાસ તરફ અને અજ્ઞાન થી જ્ઞાન તરફ લઈ જતા આપણી સંસ્કૃતિ ના આ મહાન દીપોત્સવી પર્વની ઉજવણી સંસ્થા તરફથી કરવામાં આવી હતી.. જેમાં સ્પર્ધા ની વાત કરીએ તો દ્યરે થી ડીસમા દ્યી મા બોળેલી વાટ ગોઠવીને તૈયાર કરીને સ્પર્ધકો લાવ્યા હતા અને અહીં સ્થળ પર એક જ દિવાસળીથી આ વાટ ને પ્રગટાવવાની સ્પર્ધા યોજાઇ હતી બધા જ બહેનો એ આ પ્રજવલિત પર્વમા ભાગ લઇ ને યાદગાર ઉજવણી કરેલ હતી.દરેક સ્પર્ધકને શ્રધ્ધા કલર વાટના પેકેટ આપવામાં આવ્યા હતા. આ સાથે સભ્ય બહેનો ને સ્ત્રી નિકેતન સંસ્થા તરફથી અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો. તેમ પ્રમુખ શ્રી ચેતનાબેન પંડ્યા તથા મંત્રી શ્રી અનિલાબેન મોદીની યાદીમાં જણાવાયુ છે.

(12:03 pm IST)