Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઉનાની બેન્‍ક ઓફ વડોદરા શાખામાં વિવિધ યોજના અંગે માહિતી સેમિનાર યોજાયો

ઉના, તા. ર૦ : એસ.ટી. બસ સ્‍ટેશન સામે બેન્‍ક ઓફ વડોદરાની શાખામાં સ્‍પોર્ટ એન્‍ડ આઉટ રીચ  અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

ગીરસોમનાથ જીલ્લાના શ્રી વ્‍યાસ, રીજીનલ મેનેજર જામનગર ક્ષેત્રના સતાદિયા હાજરી આપી હતી. જેમાં ઉના શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્‍યા ગ્રાહકો હાજર રહ્યા હતા અને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સેકટર અંતર્ગત લોકોને પ૯ મીનીટમાં લોન કેવી રીતે સરળ વ્‍યાજે મળે તેની માહીતી આપેલ હતી.

બેન્‍કની વિવિધ યોજના તથા સુકન્‍યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા કવચ, વિમા પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજનાની માહિતી આપી લાભ લેવા જણાવેલ હતું. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ૧૦૦ જીલ્લામાંથી ગીરસોમનાથ જીલ્લો પસંદ કરવામાં આવેલ છે. આ યોજનાથી અવિકસિત સેકટરનો વિકાસ થશે. તથા સ્‍ટેન્‍ડ અપ ઇન્‍ડીયાને વેગ મળશે. સેમિનારમાં લોકોને મુંઝવતા પ્રશ્નો રજૂ થયા હતા અને તેને હલ કરવામાં આવતા ગ્રાહકોએ સંતોષ વ્‍યકત કર્યો હતો.

 

(10:59 am IST)