Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભાવનગરમાં 65 વર્ષીય ડો,રાજેશભાઈ મહેતાએ 175મી વાર કર્યું રક્તદાન :વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું

આ સિદ્ધિને વિવિધ સંસ્થાઓએ આવકારી મોમેન્ટો-શાલ-સન્માનપત્ર આપી સન્માનિત કર્યા

ભાવનગરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં શતકવીર રક્તદાતા ડૉ.રાજેશભાઇ મહેતાએ 65 વર્ષની ઉંમરે 175મી વાર રક્તદાન કર્યુ હતુ. તેમની આ સિદ્ધિને વિવિધ સંસ્થાઓએ આવકારી મોમેન્ટો-શાલ-સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

 આ તકે ડો. રાજેશ મહેતાના પરિજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગરના અનેક શતકવીર રક્તદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

(10:46 pm IST)