Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભાવનગરના ખાખરીયા તળાવમાં ડૂબી જતા એક બાળકનું મૃત્યુઃ બેનો બચાવ

ભાવનગરઃ ભાવનગરના ખાખરીયા ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક બાળકનું ડૂબી જતા મૃત્યુ થયુ હતુ. બે બાળકોનો બચાવ થયો હતો. જિલ્લાના પાલીતાણા  તાલુકાના ખાખરીયા ગામે આવેલા તળાવમાં  ત્રણ બાળકો ન્હાવા પડયા હતા. જેમાં તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા મનન રમેશભાઇ બારૈયા(ઉ.૧પ) નું મૃત્યુ થયુ હતુ. સ્થાનીક તરવૈયાઓએ શોધખોળ કરી બે કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢયો હતો.

(12:14 pm IST)