Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

થાનગઢમાં બિમારીથી કંટાળી મંજુબેન ચોૈહાણનું અગ્નિસ્નાન

ગંભીર રીતે દાઝયાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: થાનગઢમાં આંબેડકરનગર-૧માં રહેતાં મંજુબેન મનસુખભાઇ ચોૈહાણ (મેઘવાળ) (ઉ.૪૦)એ રાત્રે દોઢ વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંજુબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ મનસુખભાઇ મલાભાઇ ચોૈહાણ કપ-રકાબી વેંચી ગુજરાન ચલાવે છે. મંજુબેનને લાંબા સમયથી તાવ આવતો હોઇ તેમજ સતત બિમાર રહેતાં હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યાનું તેના પતિએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે થાન પોલીસને જાથ કરી હતી.

વડોદમાં નાનકી રમતાં-રમતાં ચુલા પર પડી

વઢવાણના વડોદ ગામે મેલડી માતાજીના મંદિર પાસે રહેતી નાની શાંતિલાલ રાઠવા (ઉ.૧૦) રમતાં-રમતાં સળગતા ચુલા પર પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. (૧૪.૫)

 

(11:57 am IST)