Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જસદણ તાલુકાના તલાટીઓ સોમવારથી અચોક્કસ હડતાલ પર

જસદણ તા.૨૦: તાલુકાના તલાટી કમ મંત્રીઓ પોતાની માંગોનું સમાધાન ન થાય તો તા. રરથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની જાહેરાત તલાટીઓએ કરી છે.

તલાટીઓએ પગાર ધોરણ સહિતની અનેક માંગો સરકાર સમક્ષ કરી છે જે માંગો ન સ્વીકારતા તબક્કાવાર કાર્યક્રમોની જાહેરાત કરી છે જે અંતર્ગત જસદણ તાલુકામાં ફરજ બજાવતા પ૦ તલાટી કમ મંત્રી ૧૦મી એ કાળી પટ્ટી ધારણ કરી તા.૧૭ના રોજ પેનડાઉન કાર્યક્રમ કર્યો અને તા.૨૯ના દિવસે માસ સી.એલ. પણ મુકી હતી આ ઉપરાંત છઠ્ઠી ઓકટોબરે ગાંધીનગરમાં ધરણા પણ કર્યા હતા.

ઉકત કાર્યક્રમો બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તલાટી મંડળે વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે. રર મી ઓકટોબરે અચોક્કસ મુદતની હડતાલ પર જશે. સોમવારે જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ આ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવા સંદર્ભે આવેદનપત્ર પણ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી એડીશ્નલ કલેકટરને આપવામાં આવ્યું હતું. તે અંગે જસદણ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પ્રતાપભાઇ ધાધલ એ જણાવ્યું હતું.(૧.૧)

(11:56 am IST)