Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સોમનાથ મંદિર પાસે ઉભરાતી ગટરોથી યાત્રિકો-સ્થાનિકો-રહીશો પરેશાન

પ્રભાસ પાટણ તા.૨૦: સોમનાથ મંદિરને અડીને આવેલ રસ્તા ઉપર વારંવાર ગટરો ઉભરાવાને કારણે દુર્ગંધ મારતું ખરાબ પાણી નીકળે છે. જેથી રસ્તા ઉપર ગટરનાં પાણીની રેલમછેલ જોવા મળે છે. આ પાણી નિકળવાનાં બનાવો વારંવાર બને છે.

રસ્તા ઉપરથી યાત્રિકો અને સ્થાનિક લોકો પસાર થાય છે. ત્યારે આ ગંદગીયુકત પાણીમાંથી પસાર થવું પડે છે. અને આ પ્રથમ જયોતિલિંર્ગ અને ભારતભરનાં લોકોનું આસ્થાના પ્રતિક સમાં સોમનાથ મંદિરની બાજુમાં ગટરનું પાણી નીકળવું એ શરમની વાત છે. આ પાણીનાં કાયમી ધોરણે યોગ્ય નિકાલ માટે કોઇ ઠોશ કાર્યવાહી થતી નથી. અને યાત્રિકો અને સ્થાનિકો ગામલોકો આનો ભોગ બની રહેલ છે. તો આ ગટરનાં પાણીનો કાયમી ધોરણે ઉપાય થાય તેવી લોકોની માંગણી છે.

(9:59 am IST)