Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પ્રભાસ પાટણમાં દશેરા નિમિતે રાહતદરે ૨૧૦૦ કિલો મીઠાઇ ફરસાણ વિતરણ

પ્રભાસ પાટણમાં મામલતદાર દેવકુમાર આંબલીયા દ્વારા રાહતદરે ફરસાણ-મીઠાઇ વિતરણનો પ્રારંભ કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ તા.૨૦: પ્રભાસ પાટણનાં સસ્તા અનાજનાં દુકાનદારો દ્વારા છેલ્લા ૭ વર્ષથી રાહતદરે દશેરા નિમિતે શુદ્ધ ઘીની જલેબી અને મીક્ષ ફરસાણનાં કિલોનાં ૯૦ રૂપિયા રાખવામાં આવેલ છે અને શુદ્ધ ઘીની ૯૦૦ કિલો જલેબી અને ૧૨૦૦ કિલો મીક્ષ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ છે અને પ્રભાસ પાટણનાં લોકોએ આ લાભ લીધો હતો.

આ રાહતદરે જલેબી ફરસાણંના વિતરણનો શુભારંભ મામલતદાર દેવકુમાર આંબલીયા દ્વારા કરવામાં આવેલ આ તકે પુરવઠાનાં ભગતભાઇ પૂર્વ ના.મામલતદાર જહાગીર બ્લોચ, સી.ટી. તલાટી દવેભાઇ સંદિપભાઇ મહેતા, સર્કલ ઓફિસર રામભાઇ સહિતનાં લોકોએ હાજરી આપેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સસ્તા અનાજ એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઇ વેૈયારા, ભરતભાઇ જીમુલીયા, મનીષભાઇ તન્ના, જીકાભાઇ ચાંડપા, મિનલભાઇ વધાવા, બંકીમભાઇ વૈદ્ય, ઇબ્રાહીમભાઇ પુંજા, યુવા ભાજપનાં મંત્રી મોૈલિકભાઇ વૈયારા સહિતનાં લોકોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં મામલતદાર દેવકુમાર આંબલીયા શુભારંભ કરાવતા નજરે પડે છે.

(9:58 am IST)