Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજુલા-ચાર નાળા રોડ પર અઢી વર્ષથી મંજૂર થયેલ નાળાનું કામ નહી થતાં રોષ

રાજુલા તા. ર૦ :.. ચાર નાળા રોડ પર છેલ્લા અઢી વર્ષથી સતીઆઇના મંદિર નજીકનું નાળુ મંજૂર થયેલ હોવા છતાં કરવામાં આવતું નહી હોવાનું ભચાદરના માજી સરપંચ હનુભાઇ દ્વારા જણાવ્યામાં આવેલ છે. શ્રી હનુભાઇએ જણાવેલ છે કે આ નાળાની માંગણી છેલ્લા ર૦ વર્ષથી છે. અને અઢી વર્ષથી મંજૂર થયેલ પડયુ છે. થોડા એવા વરસાદમાં પણ આ નાળુ નહી બનાવને કારણે રોડ બંધ થઇ જાય છે. જેથી આ રોડ ઉપરના ઉચૈયા, ભચાદર, વડ વિગેરે ગામોમાંથી સ્કુલે જતા વિદ્યાર્થીઓ અને ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો તાત્કાલીક અસરથી આ નાળુ બનાવવામાં આવે તેવી માંગ શા માટે ? આ નાળુ બનાવવામાં આવતુ નથી તેવો પ્રશ્ન પણ કરેલ છે.

(1:00 pm IST)