Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કેશોદ શહેરમાં ગણપતિ દાદાનું ઉત્સાહભેર કરવામાં આવ્યું વિસર્જન : કેશોદ આસપાસનાં પવિત્ર

નદીઓ અને તળાવોમાં શ્રધ્ધાપૂર્વક વિસર્જન કરી આવતાં વર્ષે પધારવા આમંત્રણ આપ્યુ

 કેશોદ : કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે આજે આનંદ ચૌદસ નિમિત્તે વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદ શહેરમાં બેન્ડવાજાની ધુન સાથે દાંડીયા રાસ ની રમઝટ બોલાવી ભકિતમય વાતાવરણ બની ગયું હતું. કેશોદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલ ગણેશોત્સવ નાં આયોજકો દ્વારા આસપાસના નદીઓમાં અને માંગરોળ ખાતે દરિયા માં વિસર્જન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવ ગણપતિ બાપ્પા ને આવતાં વર્ષે પધારવા આમંત્રણ આપ્યું હતું. કેશોદ ગણેશોત્સવ સમિતિ નાં પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને મંત્રી જયભાઈ વિરાણી એ શહેરીજનોને સાથ સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

(12:58 pm IST)