Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે વેકસીનેશન કેમ્પ

 વાંકાનેર,તા.૨૦ : બોટાદ જિલ્લા ના સાળગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામિશ્રી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના (૭૧મા જન્મદિવસ )નિમિતે બે દિવસય વેકસીનેશન કેમ્પ નો કાર્યક્રમ યોજાયેલ હતો.

 તેમજ ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે પૂજ્ય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેક સાગરદાસજી સ્વામીજીએ દાદાના ચરણોમાં વડાપ્રધાનના નિર્ધાયુ માટે પ્રાર્થના કરેલ હતી અને નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે વિશેષ દાદાનું પૂજન કરીને વડાપ્રધાનશ્રી ને જન્મદિવસ ની શુભકામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા પાઠવેલ હતી તા,૧૭ અને ૧૮ બે દિવસ વેકસીનેસન કેમ્પ રાખેલ છે.

(11:46 am IST)