Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ખંભાળિયામાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે એએસપી પ્રશાંતકુમારનું ફૂટ પેટ્રોલીંગ

ખંભાળિયા તા.ર૦ : ખંભાળિયા પો. ઇ. પી. એ. દેકાવાડીયા દ્વારા ખંભાળિયા શહેરમાં મેઇન બજાર,  રાજડા રોડ, રામમંદિર તથા શાક માર્કેટ વિસ્તારમાં દબાણો દુર કરાયા હતા તથા રસ્તાની બન્ને બાજુ બેસતા ઢગલાબંધ આસામીઓને દુર કરાયા હતા તથા આ અંગે કડક કાર્યવાહી થઇ હતી.

એએસપી પ્રશાંતકુમારએ  ખંભાળિયા થુમ્બેએ  પાલિકા ચીફ ઓફિસર શ્રી એ.કે. ગઢવી ટ્રાફિક પી.આઇ. શ્રી ડી.બી. ગોહિલ તથા શહેર પો. ઇ. પી.એ. દેકાવાડીયાને સાથે રાખીને તપાસ કરી હતી.

જે ખાનગી માલીકીની જગ્યામાં રસ્તાને નડતરના હોય તેવી રીતે  રેતે ઓટલાપર ધંધા કરનારા લોકોને પાલિકાની રજા મળેલનીે ત્યાં ટ્રાફિકમાં નડતરરૂપ ના થાય તેવી રીતે ધંધો કરવાનું નકકી કરાયું હતુ તે અંગે થોડા સમયમાં પાલિકા દ્વારા સુચના અપાશે.

ખંભાળિયામં રસ્તાને નડતરરૂપ રેકડી કેબીનો વાળાને દુર કરાયા હતા તેઓને પાલિકા દ્વારા અન્ય જગ્યાએ જગ્યાઓ ફાળવવામાં આવે તે માટે પણ એએસપી શ્રી પ્રશાંતકુમાર દ્વારા સુચના આપવામાં આવી છે.

(1:13 pm IST)