Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સાવરકુંડલા એસએમજીકે સંકુલમાં સૈયદ દાદાબાપુ અને નારણભાઇ કાછડીયા સહિતની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ

સાવર કુંડલા : પીર સૈયદ દાદાબાપુ કાદરીની દેખરેખ નીચે ચાલતુ એસ. એમ. જી. કે શૈક્ષણીક સંકુલમાં પૂ. ભકતીરામબાપુ સાંસદ નારણભાઇ કાછડીયા વગેરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ વરસાદ કરવાનો એક કાર્યક્રમ યોજાયેલ હતો. વૃક્ષવાવો વરસાદ લાવો તેમજ વૃક્ષોનું જતન કરવુ તે અતિ જરૂરી હોવાથી પીર સૈયદ દાદાબાપુ, પૂ. ભકતીરામબાપુ, સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ મહાનુભાવોની ઉપસ્થીતીમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયુ હતું. નારણભાઇ કાછડીયા દ્વારા એસ. એમ. જી. કે સંકુલની જમીનની સંપાદિતતાને કાયદેસરતા સહ બીનખેતી કરાવી શાળાની મંજૂરી અપાવી હતી. આ તકે પીર સૈયદ અબ્દુલ કાદરબાપુ, માજી નગરપતી રાજુભાઇ દોશી, માજી નગરપતી કેશુભાઇ વાઘેલા, ડો. આર. કે. કુરેશી, મયુરભાઇ ઠાકર, ગોવિંદભાઇ પરમાર, મહેશભાઇ સુદાણી, મંગળુભાઇ ખુમાણ, માણસુરભાઇ, પ્રવિણભાઇ કોટીલા, શરદ પંડયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતાં. સંચાલન હાફીઝ સાદીકે કરેલ હતું. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગૌરી  - સાવરકુંડલા)

(1:10 pm IST)