Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતી હેઠળની શાળાઓમાં ભોજનમાંથી ઇયળો નીકળી

જામનગરઃ તા.૧૯: શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં આજે ઇયળો નીકળતા બાળકો તો ઠીક શાળાના શિક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

અને અમુક શિક્ષકો પાસેથી જાણવા મળ્યા મુજબ આવું અવારનવાર બનતું હોય છે . આજે પણ ત્રણ ચાર જેટલી શાળાઓમાં ભાતમાંથી ઇયળો રીતસરની જોવા મળી છે આવો ખોરાક બાળકો કેમ આરોગે તે સૌથી મોટો પ્રશ્ર છે, એક તરફથી રોગચાળો વકરી રહ્યો છે તો બીજી તરફથી આ રીતે બાળકો આપવામાં  આવતા  ભોજનમાં ઇયળો નીકળે તે બાબત ખુબ જ ગંભીર કહી શકાય તેવી છે. ત્યારે આ મામલે શાસનાધિકારી સી.એમ.મહેતાને પુછતામાં આવ્યું ેતવો આ મામલે અજાણ હોવાનો  રાગલાપ આપીને મારા ધ્યાનમાં આવું કોઇ આવ્યું નથી તેમ કહી હાથ ઉંચા કરી લીધા જે બાબત કેટલી વાજબી...?

(12:00 pm IST)