Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોરબી નગરપાલિકાની જગ્યાઓ ભરવા માટે ૨૬મીએ ભરતી મેળો

મોરબીના બિસ્માર રસ્તા રીપેર કરવા ધારાસભ્યની રજુઆત

મોરબી,તા.૨૦: મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજ ખાતે તા. ૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે જેમાં નગરપાલિકાને જરૂરિયાત મુજબના કોમ્પ્યુટર ઓપરેટર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેકટ્રીશીયન, વાયરમેન, ફીટર, મોટર મિકેનિક, ઇલેકટ્રોનીકસ (કોમ્પ્યુટર રીપેરીંગ) માટે આશરે ૩ા જુદી જુદી જગ્યાઓ પર આઈટીઆઈ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ નિમણુક આપવા માટે પસંદગી કરવામાં આવશે જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોકયુમેન્ટ સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરની યાદી જણાવે છે

મોરબીના બિસ્માર રસ્તાઓ પરત પેચવર્ક કરવા રજુઆત

મોરબી શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અને આ મુખ્યમાર્ગો માર્ગ અને મકાન વિભાગમાં આવતા હોય જેથી ધારાસભ્યે આ મામલે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરીને તાત્કાલિક પેચવર્ક કરવાની રજૂઆત કરી છે

 શહેરમાંથી પસાર થતા ગુજરાત સરકાર હસ્તકના માર્ગ-મકાન વિભાગના રસ્તાઓ જેવા કે માંધાપરથી વાવડી રોડ, ઉમીયા સર્કલથી રવાપર કેનાલ રોડ, ભકિતનગર સર્કલથી નવા બસ સ્ટેન્ડ રોડ ગાંધીચોકથી સર્કીટ હાઉસ સુધીનો રસ્તો જે ભારે વરસાદને કારણે નુકશાન પામ્યો છે આ રસ્તાઓ પર તાત્કાલિક રીસરફેસ કામગીરી કરવી જરૂરી છે તેવી માંગ સાથે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય,મ ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરતા વિના વિલંબે પેચવર્ક કામ હાથ ધરી રસ્તાઓને ટ્રાફીકેબલ બનાવાશે ધારાસભ્યની સતત જહેમતને લીધે માધાપર-વાવડી પેચવર્ક કામ મંજુર થયું છે અને ટેન્ડર પણ બહાર પડી ગયું છે તે ઉપરાંત ઉમિયા સર્કલથી રવાપર કેનાલ રોડપણ વિસ્તૃત કામ કરવાનું કામ મંજુર કરાયું છે પેચવર્ક તુરંત થાય તેવું સુચના સંબંધિત ઈજનેરોને આપી છે

તે ઉપરાંત મોરબી તાલુકાના ગાળા ગામનો, માળિયાના લાખિયાસર, હ્રન્જીયાસર અને મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી જુના નાગડાવાસ તેમજ ગુંગણનો રસ્તો તેમજ નવા સાદુળકા અને લક્ષ્મી નગરનો રસ્તો વિના વિલંબે કરવા ધારાસભ્યે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રૂબરો મળીને રજુઆતો કરી છે સાથે જ મોરબી બાયપાસ રોડ પર ખાડા બુરવા અને મચ્છુ ૩ બ્રીજ પર આરતીઓ કચેરી નજીકનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું છે.

બ્લડ ડોનેશન કેમ્પ

 મોરબીઃઆધ્યા ફાઉન્ડેશન દ્વારા નીલકંઠ સ્કૂલના સહયોગથી તા. ૨૯ ને રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૬ કલાક સુધી રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે જે રકતદાન કેમ્પમાં યુવાનો અને નગરજનોને જોડાવવા માટે સંસ્થાએ અપીલ કરી છે વધુ માહિતી માટે જીતુ વડસોલૉં ૯૬૦૧૫ ૯૯૧૧૧, નવનીત કાસુન્દ્રૉં ૯૭૨૭૪ ૭૩૭૦૩ અને જે. પી. પાડલીયૉં ૯૮૭૯૦ ૭૭૩૨૫ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે

 લોકડાયરો યોજાશે

મોરબીઃ સેવાભાવી ગ્રુપના યુવાનો સ્વ. હર્ષ પરમાર અને સ્વ. મિત મેરજાનું અકસ્માતમાં મોત થયું હોય જે મિત્રોની છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિતે તા. ૨૧ ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે ઉમિયા સર્કલ, કેનાલ ચોકડી પાસે, શનાળા રોડ મોરબી ખાતે સેવાના ઉદેશથી ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં કુલદીપ ગઢવી, કૌશિક ગોસ્વામી અને વિશાલ વરૂ સહિતના કલાકારો ડાયરાની રંગત જમાવશે જે ડાયરાનો શહેરીજનોએ લાભ લેવા જણાવ્યું છે.

(11:28 am IST)