Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભીમરાવનગરમાં બીમારી સબબ કિશોરભાઇ સરવૈયાનું મોત

રાજકોટ તા.૨૦: શહેરના આજીડેમ ચોકડી ભીમરાવનગરમાં રહેતા યુવાનનું બીમારીના કારણે બે ભાન હાલતમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ભીમરાવનગર શેરી નં.૧માં રહેતા કિશોરભાઇ વશરામભાઇ સરવૈયા (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે બીમારીના કારણે તબીબત લથડતા બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ ધીરૂભાઇ પરમારે કાર્યવાહી કરી હતી.

(11:14 am IST)