Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોરબીના જુના ઘુંટુ ગામે જયેશ મારવાણીયાનો ફાંસો ખાઇ આપઘાત

૪ વર્ષ પૂર્વે જયેશના છુટાછાડા થયા'તા : કારણ અંગે તપાસ

મોરબી તા ૨૦ : મોરબીના જુના ઘુટુ રોડ ગામે આવેલ ઉમા રેસીડન્સીમાં રહેતા યુવાને કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મોરબીના ઘટુ ગામે આવેલ ઉમા રેસીડન્સીમાં રહેતા જયેશ વલ્લભભાઇ મારવાણીયા (ઉ.૩૧) નામના યુવાને પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. મૃત યુવાનના ૪ વર્ષ પૂર્વે છુટાછેડા થયા હતા અને પ્રાઇવેટ નોકરી કરે છે. આપઘાતના કારણ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:14 am IST)