Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગોંડલના આંબરડીમાં જ્યોત્સનાબેન પટેલે સળગી જઇ જિંદગી ટૂંકાવી લીધી

માનસિક બિમારી કારણભુતઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૦: ગોંડલના આંબરડી  ગામે રહેતાં જ્યોત્સનાબેન કાંતિભાઇ કતબા (ઉ.૫૦) નામના લેઉવા પટેલ મહિલાએ સવારે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યોત્સનાબેને સવારે ચારેક વાગ્યે અગ્નિસ્નાન કરી લીધુ હતું. પરિવાજનોને જાણ થતાં આગ બુઝાવી ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર કારગત નિવડી નહોતી. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને અક્ષયભાઇએ કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. (૧૪.૯)

(12:45 pm IST)