Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પોરબંદરમાં સત્યનારાયણ મંદિર હાલ પૂરતુ બંધનું ટ્રસ્ટીઓ દ્વારા બોર્ડ મૂકાયું : લુખ્ખા તત્વો સામે રોષ

પૂજારી ઉપર હુમલો કરનારાઓને પકડી પાડવા માંગણી

પોરબંદર, તા. ર૦ : સત્યનારાયણ મંદિરના પૂજારી ઉપર લુખ્ખા તત્વો દ્વારા હુમલાથી ભાવિકોમાં રોષ વ્યાપી ગયેલ છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર બહાર મૂકેલા બોર્ડમાં લખ્યું છે કે આવારા તત્વો દ્વારા પૂજારીને માર મારી દાદાગીરી સામે મંદિર બંધ રાખવામાં આવે છે જેની ધર્મપ્રેમીઓએ નોંધ લેવી.

સત્યનારાયણ મંદિરના એક ટ્રસ્ટી હાલ ચાઇના હોય અને બીજા ટ્રસ્ટી મુંબઇ હોય હાલ પૂરતું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. હુમલો કરનારા આવારા લુખ્ખા તત્વોને વહેલી તકે પકડી પાડવા માંગણી ઉઠી છે.

(1:13 pm IST)