Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વાતંત્ર્તા પર્વ

જામકંડોરણા : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ ખીરસરામાં સ્વતંત્ર્તા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી અને સાતવડીના સરપંચ જટુભા વાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ ઉજવણી પ્રસંગે શાસ્ત્રીજીએ જણાવેલ કે આજના દિકરા દિકરીઓમાં જેટલી શિક્ષણ અને સંસ્કારની જરૂરત છે એટલી જ આપણા ભારત દેશમાં વૃક્ષ વાવવાની અને ઉછેરવાની ખાસ જરૂરત છે જે અંગે વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થી અને વાલીઓને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિશેષમાં શાસ્ત્રીજીએ બનાવેલ મોદીની કામયાબીનું મસ્ત ગીત વિદ્યાર્થીઓએ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખીરસરા તથા આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ હાજરી આપી હતી. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની તસ્વીરો. (તસ્વીર : મનસુખભાઇ બાલઘા, જામકંડોરણા)

(11:48 am IST)